આજનું ભવિષ્ય

લિવિંગ રૂમમાં ક્યારેય ન રાખતા આ વસ્તુ, સોફાનું કવર પણ અસર કરે છે

vastu tips, living room

ધર્મ ડેસ્કઃ ઘરનો દરેક રૂમ એકદમ ખાસ હોય છે. બધાને એવું જ લાગે છે કે, ઘર સ્વચ્છ હોય તો ઘરમાં પોઝિટિવિટી આવે છે. આ વાત સાચી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો અમુક વસ્તુ લિવિંગ રૂમમાં ન રાખવી જ હિતાવહ છે. દરેક ચીજ વસ્તુની એક નક્કી જગ્યા હોય છે. તેને એ સ્થાને જ રાખવામાં આવે તો ફાયદો થાય છે. બેડરૂમ, લિવિંગ રૂમ, બાથરૂમથી લઈ રસોડા સુધીમાં દરેક વસ્તુ રાખવાની એક જગ્યા હોય છે જે વ્યક્તિની પોઝિટિવિટીને અસર કરે છે.

લિવિંગ એરિયામાં ન રાખો આ વસ્તુ

લિવિંગ એરિયામાં લોખંડની ભારી વસ્તુઓ મૂકવાથી ગેરલાભ થાય છેય લિવિંગ એરિયામાં પ્રકાશ પૂરતા પ્રમાણમાં આવવો જોઈએ. લોઢાનો સામાન લિવિંગ રૂમમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. લોઢાના સમાનને સમયાંતરે કાટ લાગે છે. જેથી ઘરમાં માહોલ તણાવગ્રસ્ત થાય છે. એટલું જ નહીં સોફાનું કવર પણ મરૂમ અથવા આછા રંગનું હોવું જોઈએ. લિવિંગ રૂમની નિયમિતપણે સાફ સફાઈ કરવી જોઈએ. રાત્રીના સમયે અહીં નાઈટલેમ્પ પણ ચાલું રાખવો જોઈએ. લિવિંગ રૂમ ક્યારેય અંધારિયો ન હોવો જોઈએ. અંધારા રૂમથી નેગેટિવિટી વધે છે.

કપડાં લિવિંગ રૂમમાં ન રાખવા

લિવિંગ રૂમમાં ક્યારેક કપડાં ન રાખવા જોઈએ. કપડા ધોયેલા હોય કે મેલા હોય લિવિંગ રૂમમાં કપડાં રાખવાથી ઘરમાં સુસ્તી આવે છે. બને ત્યાં સુધી સોફા કે ટિપાઈ પર કોઈ પ્રકારના પહેરવાના કપડાં ન રાખવા જોઈએ. ફોલ્ડ કરેલા કપડાં સીધા જ કબાટ કે ખાનામાં મૂકવા જોઈએ.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

NRI આજનું ભવિષ્ય યુટિલિટી મનોરંજનનો લલકાર

ઊડતા પ્લેનના દરવાજા પર લટકી યુટ્યૂબર, VIDEO

પેરાશૂટે ફક્ત બે હાથથી પકડી રાખ્યો દરવાજો; ટોમ ક્રૂઝનો ખતરનાક સ્ટંટ કર્યો રિક્રિએટ, ઇન્ટરનેટ સ્તબ્ધ
NRI આજનું ભવિષ્ય યુટિલિટી

100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં વેચવાનો પ્લાન ઘડ્યો

મહેસૂલ વિભાગ સહિત અન્ય કચેરીના ખોટા સહી-સિક્કા સાથે ડોક્યુમેન્ટ બનાવ્યા, સુરતમાં વેપારીના 12 કરોડ ખંખેર્યા
Translate »