ભારતનો લલકાર

એરટિકિટ બુક કરાવ્યા બાદ ટિકિટ કેન્સલ કરાવશો તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે, બદલાઈ ગયા છે નિયમો

Air booking

એક ટિકિટ એકવાર બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવીએ તો કેટલો ચાર્જ કપાય? આ મુંઝવણમાં દરેક યાત્રી હોય છે. નવા બદલાયેલા નિયમને લઈ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય પણ યાત્રીઓ પાસેથી વિભાગે એવિએશન સેક્ટરને વધુ શ્રેષ્ઠ બનાવવા સૂચનો મંગાવ્યા છે. નવા નિયમ અનુસાર બુકિંગ કરાવ્યા બાદ 48 કલાક સુધી લુક ઈન પીરિયડ મળી રહેશે. ડેસ્ટિનેશન પસંદ ન પડ્યું હોય કે ભૂલથી પસંદ થઈ ગયું હોય તો ટિકિટ કેન્સલ કરવાનો ઓપ્શન મળશે. આ માટે કોઈ ચાર્જ વસુલાશે નહીં. એટલું જ નહીં યાત્રીના નામમાં કોઈ ભૂલ હશે તો એને સુધારવાની પણ સવલત મળશે.

 

એરલાઈન્સને મેડિકલ ઈમરજન્સી જણાવશો તો કેટલાક ટકા સુધી રીફંડ પણ આપશે. યાત્રીએ એરલાઈન્સની વેબસાઈટ કે ટ્રાવેલ એજન્ટ અથવા કોઈ પોર્ટલથી ટિકિટ બુક કરાવીશકે છે. પણ કેન્સલ વખતે રીફંડની સંપૂર્ણ સત્તા એરલાઈન્સ કંપનીઓને રહે છે. આ રીફંડ 21 દિવસમાં પ્રવાસીઓને મળે છે. હાલમાં એરલાઈન્સ ટિકિટ કેન્સલેશન સામે રીફંડની પ્રોસેસ ઘણી ધીમી છે. એવિએશન વિભાગ આ મર્યાદાને દૂર કરીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે એક ચોક્કસ ગાઈડલાઈન્સ બનાવવાની પણ તૈયારી છે. જેથી પહેલી વખત એરટ્રાવેલ કે એરટિકિટ બુક કરતા પ્રવાસીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ન થાય. એવિએશન ઈન્ડસ્ટ્રીના એકસપર્ટ એવું માને છે કે, આ પરિવર્તન પ્રવાસીઓ માટે સારા છે.આનાથી એરલાઈન્સ અને પ્રવાસીઓ વચ્ચે એક ભરોસો કાયમ થશે. પણ ઘણીબધી એરલાઈન્સ કંપનીઓ એવું માને છે કે, એમની રેવન્યૂ પર એક અસર થઈ શકે છે. જોકે, અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં આ નિયમ લાગુ છે.એક લાંબા સમય પછી એવિએશન વિભાગ આવા મોટા નિર્ણય લેવા જઈ રહી છે. જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થવાનો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »